અમારી શાળામાં 35 વર્ષની અભૂતપુવૅ સેવા અાપનાર શિક્ષક જસુભાઈ રાવલ સાહેબને શાળા પરીવાર તરફથી સત સત નમન

અલ્કેશભાઇ ચાવડાનું સર્જન

POINT OF THE TALK નાં અંશો :-  



  જેને કોઈ ના પહોંચે તેને તેનું પેટ પહોંચે.


@   Aap`e jeva p` hta,ma-bape Aap`ne idl4I iSvkarI lI2a
Maa-bap jeva p` 0e,Aap`e Aemne idl4I iSvkayaR 0e qra..?


શું વીત્યું હશે એ ઘરડી માના અંતરમાં

જ્યારે તેની વહુએ કહ્યું:-"માજી, આજે તમારી રસોઈ તમે જાતે જ બનાવી લેજો, મ્હારે અને એમણે એક પાર્ટીમાં જવાનું છે...!!!"

ઘરડી માં બોલી, "બેટી, મને ગેસનો ચૂલો
સળગાવતાં નથી આવડતું...!!!"
ત્યારે દીકરાએ કહ્યું :-

"
માં, નજીકના મંદિરમાં આજે ભંડારો છે તું ત્યાં જ જતી રહે,
રસોઈ બનાવવાનો કોઈ પ્રશ્ન જ નહિ રહે...!!!"

માં ચુપચાપ એના ચંપલ પહેરી મંદિર તરફ ચાલી નીકળી.....!!!
આ સમગ્ર બનાવ ૧૦ વર્ષનો રોહન સાંભળી રહ્યો હતો.

પાર્ટીમાં જતી વેળા રસ્તામાં રોહને તેના પપ્પાને કહ્યું:"પપ્પા, જ્યારે હું એક બહુ જ મોટો માણસ બની જઈશ ત્યારે હું પણ મ્હારું ઘર કોઈ મંદિરની નજીક જ બનાવીશ...!!!"

ત્યારે..મમ્મીએ ઉત્સુકતાથી પૂછ્યું :- કેમ બેટા ?

રોહને એનો જે પ્રત્યુત્તર વાળ્યો
એ સાંભળતા જ એ દીકરા અને એની વહુ કે જેઓ પોતાની માં ને મંદિરમાં

                      
મૂકી આવ્યા હતા તેમના ચહેરા શરમથી ઝુકી ગયા.

રોહને કહ્યું : કેમ કે માં, જ્યારે મ્હારે પણ ક્યારેક આવી પાર્ટીમાં જવાનું બનશે
ત્યારે તું પણ કોઈ મંદિરના ભંડારામાં જમવા માટે જઈશ ને !
અને હું નથી ઈચ્છતો કે તારે કોઈ દૂ....ર ના મંદિરે જવું પડે...!!!!




 ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-----------------------------------------------------------------------------------------------------------------------------------




    Aa#mo var pirvar



@  jIvn Ae va>s5I jevu 0e wle gme te3la ka`a              

hoy,p`..

vgaDta AavDe to satey sUr brabr j vage..




         એક ખુબ શ્રીમંત પરિવારનો નવયુવાન વિમાનના એક્ઝીક્યુટીવ ક્લાસમાં મુસાફરી કરી રહ્યો હતો. વિમાને ઉડાન ભર્યા બાદ થોડા સમય પછી એર હોસ્ટેસ વેલકમ  ડ્રીંક્સ  આપવા  માટે  આવી.  પેલા નવયુવાને વિનમ્રતા પૂર્વક પીણું લેવાની ના પાડી. એર હોસ્ટેસે કહ્યુ , " અરે , સાહેબ આ તો કોમ્પ્લીમેન્ટ્રી ડ્રીંક્સ છે આ માટે તમારે કોઇ વધારાનો ચાર્જ ચુકવાનો નથી. "

       
યુવાને શાંતીથી જવાબ આપતા કહ્યુ , " હું અભણ માણસ નથી. મને ખબર છે કે મારે આ પીણા માટે કોઇ વધારાનો ચાર્જ ચુકવવાનો નથી પરંતું મને એ વાતનો પણ ખ્યાલ છે કે આ પીણામાં આલ્કોહોલ હોય છે અને હું આલ્કોહોલ નથી લેતો માટે હું મનાઇ કરુ છું."

      
એર હોસ્ટેસને પોતાની કંપનીનું અપમાન થતું હોય એમ લાગ્યુ આથી થોડા સમય પછી એ ફરી પાછી આવી અને એક અત્યંત આકર્ષક નાની બોટલ પેલા યુવાનને બતાવતા કહ્યુ , " સાહેબ , આ દુનિયાનું સૌથી મોંઘુ ડ્રીંક છે અમે આ અમારા ખાસ ગ્રાહકોને જ આપીએ છીએ. આપ અમારા ખાસ ગ્રાહક છો આથી આપના માટે આ ડ્રીંક લાવી છું."

યુવાને એર હોસ્ટેસને કહ્યુ , " આપનો આભાર , આપનો આગ્રહ જોતા મે નક્કી કર્યુ છે કે હું આ ડ્રીંક્સ લઇશ. " વાત સાંભળતા જ એર હોસ્ટેસ મનમા

 po[N3 Aof 2I 3ok : Ñ
મલકાઇ.             હજુ એ કંઇ બોલે એ પહેલા જ પેલા યુવાને કહ્યુ , " પરંતું તમારે આ ડ્રીંક્સ મને આપતા પહેલા આ વિમાન ચલાવનાર પાઇલોટને આપવું પડશે. "

        
એર હોસ્ટેસે કહ્યુ , " અરે , તમે આ કેવી વાત કરો છો ? પાઇલોટને એ વિમાન ચલાવતો હોય ત્યારે ડ્રીંક્સ ન આપી શકાય. આ પ્લેનને યોગ્ય રીતે ચલાવવાની અને તમામ અડચણોની વચ્ચે એને બચાવવાની એમની જવાબદારી છે."

         
યુવાને કહ્યુ , " બહેન . આ પાઇલોટની જેમ હું પણ મારી ફરજ પર છું અને મારી ફરજ 24 કલાકની છે. પ્રભુએ મને આ જગતમાં મોકલ્યો છે અને મને મારો ઇમાન બચાવવાની ફરજ સોંપી છે તો હવે મને કહો કે હું મારી આ ઇમાન બચાવવાની ફરજ નીભાવી રહ્યો છું ત્યારે ચાલુ ફરજે ડ્રીંક્સ કેવી રીતે લઇશકુ?"

મોરલ :

       
મિત્રો , આપણે પણ આપણા ઇમાનની સાથે સાથે આપણા પરિવારને બચાવવાની ફરજ નીભાવવાની છે. આપણી આ ફરજ 24 કલાકની છે. પાઇલોટની જેમ આપણે પણ આ જીવનરૂપી પ્લેનના પાઈલોટ છીએ તેથી આપણે પણ સજાગ, જાગૃત અને કાર્યાન્વિત રહેવાની જરુર છે જ ! આપણા કોઇ કામને કારણે પરિવાર મુશ્કેલીમાં ન આવી જાય એનું ધ્યાન રાખવાનું છે.

 ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-----------------------------------------------------------------------------------------------------------------------------------








      હું જ કેમ દુખી ?







          બે મિત્રો હતા. જીગરજાન મિત્રો. બંને એક જ કંપનીમાં એક સરખા પગારથી એકસમાન હોદા પર કામ કરતા હતા અને એક જ સોસાયટીમાં એક સરખા મકાનમાં બાજુ-બાજુમાં જ રહેતા હતા. બધી જ બાબતમાં સમાનતા હોવા છતા એક મિત્ર હંમેશા આનંદમાં રહેતો અને બીજો હંમેશા દુ:ખી રહેતો.

          
એકવખત બંને મિત્રો બહાર ફરવા માટે ગયા ત્યારે દુ:ખી મિત્રએ કહ્યુ , " યાર , આપણા બંનેની પાસે બધુ જ સરખુ છે તો આપણને આનંદ પણ સમાન મળવો જોઇએ છતા પણ એવું કેમ થાય છે કે તું આનંદમાં હોય છે અને હું સતત તનાવમાં જીવું છું. ? મારા જીવનમાં આવે છે એવી કોઇ સમસ્યા કે દુ:ખ શું તારા જીવનમાં આવતા જ નથી ? "

          
બીજા મિત્રએ કહ્યુ , " ભાઇ , પ્રશ્નો અને સમસ્યાઓ તો મારા જીવનમાં પણ એટલી જ છે જેટલી તારા જીવનમાં છે. આપણે કાયમ સાથે જ હોઇએ છીએ અને તને મારા જીવનની સમસ્યાઓનો ખ્યાલ પણ છે. " દુ:ખી રહેતા મિત્રએ કહ્યુ , " તારી વાત બીલકુલ સાચી છે. તો પછી તારી પાસે એવુ શું છે કે તું આ સમસ્યાઓની વચ્ચે પણ આનંદપૂર્ણ જીવન જીવી શકે છે ? "

           
પોતાના મિત્રના ખભા પર હાથ મુકીને જવાબ આપતા બીજા    મિત્રએ કહ્યુ , " અરે મારા વ્હાલા દોસ્ત, તારી અને મારી વચ્ચે માત્ર એટલો જ ફેર છે કે જીવનમાં આવતા દુ:ખોને કારણે હું માત્ર એક જ વાર દુ:ખી થાવ છું. અને તું એક જ દુ:ખ માટે ત્રણવાર દુ:ખી થાય છે. 1. દુ:ખ


કે સમસ્યા આવવાની હોય ત્યારે એના સતત વિચારો કરીને 2. દુ:ખ કે સમસ્યા ખરેખર જીવનમાં આવે ત્યારે અને 3. દુ:ખ કે સમસ્યા જતા રહે ત્યારબાદ એને વારંવાર યાદ કરીને. જીવનમાં આવતી સમસ્યાથી મને એક વખત તકલીફ પડે છે અને તને ત્રણવાર તકલીફ પડે છે"

           
મિત્રો , આપણે બધા પણ એક જ સમસ્યા માટે ત્રણવાર દુ:ખી થનારા માણસો છીએ. ભવિષ્ય માટે સજાગ જરુર બનીએ પણ હજુ જે બન્યુ જ નથી એની ચિંતા કરીને વર્તમાનને બરબાદ ન કરીએ અને ભુતકાળને વાગોળવાને બદલે કરેલી ભુલોમાંથી બોધપાઠ લઇને આગળ વધીએ..



 ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-----------------------------------------------------------------------------------------------------------------------------------


सच बोलने की कीमत

बहुत पुरानी बात है। एक गाँव में युधिष्ठिर नाम का एक कुम्हार रहता था। उसे शराब पीने की बहुत बुरी लत थी। एक दिन शराब के नशे में लडखड़ाकर वह एक टूटे बर्तन पर गिर पड़ा। टूटे हुए बर्तन का तीखा कोना उसके माथे में जा घुसा और भलभलाकर खून बहने लगा। लेकिन कुम्हार ने घाव की कोई परवाह नहीं की और जिसका घाव बिगड़ गया। कुछ समय बाद घाव तो भर गया लेकिन माथे पर एक बड़ा निशान पड़ गया।
कुछ समय बाद इलाके में अकाल पड़ गया कुम्हार का काम भी ठप पड़ गया। अतः वह रोजगार की तलाश में दूसरे देश की ओर चल दिया। वहाँ पहुंचकर उसने किसी प्रकार वहां के राजा के पास नौकरी पा ली।
एक बार जब राजा ने उसके माथे पर पड़ा निशान देखा तो उसने सोचा कि वह बहुत बहादुर होगा। शायद शत्रु सेना के किसी सिपाही के साथ युद्ध करते समय इसके माथे पर घाव लगा होगा। अतः राजा ने उसे अपने चुने हुए सेनापतियों के साथ नियुक्त कर दिया।
एक बार जब पड़ोसी देश के साथ युद्ध के आसार बनने लगे तो राजा ने अपने सेनापतियों का उत्साह बढ़ाने के लिए उन्हें सम्मानित किया।
कुछ समय बाद उसने कुम्हार को अपनी सेना का सर्वोच्च सेनापति बनाने का निर्णय लिया। उसने कुम्हार से पूछा-‘‘वीर युवक ! तुम्हारा नाम क्या है ? तुम्हारे माथे पर यह निशान कैसे पड़ा ? उस युद्ध का क्या नाम है था, जिसमें तुमने भाग लिया था ?’’
‘‘
महाराज !’’ कुम्हार बोला-‘‘पेशे से मैं कुम्हार हूं। एक बार मैं शराब पीकर टूटे हुए कांच पर गिर पड़ा था। कांच मेरे माथे में घुस गया था और निशान उसी घाव का है, जो कांच घुसने से बना था।’’
यह सुनकर राजा आग बबूला हो उठा। उसने उस कुम्हार को सेना तथा देश से बाहर निकालने का आदेश दे दिया।
राजा के पैर पकड़कर कुम्हार बहुत गिड़गिड़ाया। अनेक दलीलें दीं कि वह उसे अपनी सेना में बना रहने दे। सेना में रहकर युद्ध के समय उसे जौहर दिखाने का मौका दे, लेकिन राजा ने उसकी एक न सुनी और उसे देश से बाहर कर दिया।
अब कुम्हार बिचारा सोच रहा था कि क्या सच बोलने का अंजाम ऐसा भी हो सकता है ?

---------------------------------------------------------------------------------------------------------------


 

જીવનનું સૌથી મોટું સત્ય બતાવતી 'જીવીત' ની આજ ની વાત ..

એક માણસ ની ચાર પત્ની હતી (હોય અમુક એવા હિંમત વાળા, આપણું કામ નહિ હો). એની ચોથી અને સૌથી નાની પત્ની ને ખુબ પ્રેમ કરતો. બહુ સાચવી ને રાખે. જેટલી માવજત એની કરતો એટલી કોઈ ની જ નહિ. ત્રીજી પત્ની પણ એને પ્રિય હતી. જયારે કોઈ સમસ્યા થાય ત્યારે એ એની પાસે જ જતો. એની સલાહ મુજબ જ વર્તન કરે અને સુખ દુખ ની વાત કરે. બીજી પત્ની ને એ ખુબ જ જાળવી ને રાખે. ખુબ શણગારે. એને થોડીક પણ તકલીફ પડે તો તરત એનો ઉપાય કરવા લાગે. અને એની સૌથી પેહલી પત્ની ઉપર એ માણસ જરાય ધ્યાન નોટો આપતો. એ પત્ની ની વધારે ઈચ્છાઓ પણ ના હતી. છતાં એ માણસ ને એ પત્ની નો કોઈ દિવસ ખ્યાલ જ નો આવ્યો. ખૈર, ઉમર થતી ગઈ અને એના મૃત્યુ નો સમય આવ્યો. એને એની પત્નીઓ ને કહ્યું કે તમે કોઈ મારી સાથે આવશો . એની છોથી પત્ની એ કહ્યું કે ના હું તો નહિ આવું. હું તો અહી જ રહીશ. ત્રીજી પત્ની કહે હું તો બીજા પાસે ચાલી જઈસ. અને બીજી પત્ની પણ કહે કે એ પણ અહી જ રહેશે. ત્યાં એની જીર્ણ શીર્ણ થયેલી પેહલી પત્ની આવી. એ કહે હું તમારી સાથે આવીશ. માણસ પોતાની આખા જીવન ની ભૂલ પર હવે પસ્તાવા લાગ્યો પણ હવે એટલો સમય પણ ના હતો કે પેહલી પત્ની નો ખ્યાલ રાખી શકે.
મિત્રો, આ ચાર પત્ની છે પૈસો, સગા વ્હાલા, શરીર અને આત્મા. આપણે પણ આ વાર્તા મુજબ પૈસા, સગા વ્હાલા અને શરીર નું તો ખુબ જતન કરીએ છીએ પણ આત્મા વિષે વિચારતા જ નથી. પણ જીવીત' કહે છે કે આપણી પાસે હજી સમય છે, આત્મા નું જતન કરીએ અને ઉપર વાત માં લખ્યું એમ આત્મા વધુ કઈ માંગતું જ નથી. ફક્ત થોડુક પરોપકાર નું કાર્ય અને સત્કર્મ. શું આટલું પણ આપણા થી નો થાય?


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------


   jEsI krnI vEsI wrnI





  @  g/ahk Aekvar te`e cUkvelI ik>mt
wUlI jxe p`..
tme Aema> je mULy AaPyu hxe te la>bo
smy yad raqxe...





              એક શહેરના મધ્યભાગમાં બેકરીની એક દુકાન હતી. બેકરીની અમુક વસ્તુઓ બનાવવા માટે એને માખણની જરુર પડતી હતી.આ માખણ બાજુમાં આવેલા ગામડામાંથી એક ભરવાડ પાસેથી ખરીદવામાં આવતું હતુ.

           
એકદિવસ બેકરીના માલિકને એવુ લાગ્યુ કે માખણ જેટલુ મંગાવ્યુ એના કરતા થોડું ઓછુ છે. એણે નોકરને બોલાવીને માખણનું વજન કરવાની સુચના આપી. નોકર માખણનું વજન કરીને લાવ્યો. માખણનું વજન 900ગ્રામ હતું. એકકીલો માખણ ખરીદવામાં આવેલું પણ તેના બદલે 100 ગ્રામ ઓછુ માખણ મળતા વેપારીને બહુ ગુસ્સો આવ્યો.

         
વેપારીએ નક્કી કર્યુ કે આવુ કેટલા દિવસ ચાલે છે તે જોવુ છે એણે ભરવાડને માખણ ઓછુ હોવા વિષે કોઇ વાત ન કરી. રોજ માખણ ઓછુ જ આવતુ હતું. થોડા દિવસ સુધી આ જોયા બાદ વેપારીએ ભરવાડની સામે કોર્ટમાં છેતરપીંડીની ફરીયાદ કરી.
કોર્ટ દ્વારા કેઇસની સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે ન્યાયધીશે ભરવાડને પુછ્યુ , " તારી સામે જે આરોપ મુકવામાં આવ્યા છે તેના બચાવમાં તારે કોઇ રજુઆત કરવી છે કે કોઇ વકીલ રોકવા છે ?"
ભરવાડે હાથ જોડીને કહ્યુ , " જજ સાહેબ, હું તો ગામડામાં રહેતો સાવ અભણ

po[N3 Aof 2I 3ok : ÉË
 માણસ છું. માખણનું વજન કરવા માટે મારા ઘરમાં વજનીયા નથી. અમે ગામડાના માણસો નાના પથ્થરના વજનીયા બનાવીને જ વસ્તુ આપીએ. પણ અમારા આ પથ્થરના વજનીયા વેપારીના વજનીયા કરતા વધુ વજનદાર હોય બસ એટલી મને ખબર છે.
"

          
જજે સામે પ્રશ્ન પુછ્યો , " તો પછી રોજ 100 ગ્રામ માખણ ઓછુ કેમ આવે છે ? "

         
ભરવાડ કહે , " સાહેબ , એનો જવાબ તો આ વેપારી જ આપી શકશે. કારણ કે હું રોજ એમને ત્યાંથી એક કીલો બ્રેડ ખરીદુ છું અને એમની પાસેથી ખરીદેલી બ્રેડને જ વજનીયા તરીકે ઉપયોગ કરીને એમને એક કીલો માખણ આપુ છું."

       
મિત્રો , જીવનમાં બીજા કરતા ઓછું મળે ત્યારે રાડારાડી કરવાને બદલે જરા વિચાર કરવાની જરુર છે કે મેં બીજાને શું આપ્યુ છે ? આપણે જે બીજાને આપીએ એ જ અન્ય દ્વારા આપણા તરફ પરત આવતું હોય છે.


  ----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------


ધ્યેય વગરની દોડાદોડી :-



એક વેપારીએ કુતરો પાળેલો હતો. કુતરાને હંમેશા છુટો જ રાખવામાં આવતો હતો. વેપારીના ઘરની બહાર બેસે અને ચોકી કરે. આ કુતરાને એક વિચિત્ર ટેવ હતી. એ બહાર બેઠો હોય ત્યારે જે વાહન રસ્તા પરથી નીકળે એ વાહનને પકડવા વાહનની પાછળ દોટ મુકે. વાહન ચલાવનાર પણ ગભરાઇને વધુ ઝડપથી વાહન ચલાવે. કુતરો થોડીવાર વાહન પાછળ દોડે અને વાહન ન પકડી શકવાને કારણે પાછો પોતાની મૂળ જગ્યાએ આવીને બેસી જાય.

રોજ બનતી આ ઘટના જોનારો વેપારીનો પાડોશી એકદિવસ વેપારીને મળવા માટે એના ઘરે ગયો. એણે વેપારીને કહ્યુ , " હું રોજ જોવ છું કે તમારો આ કુતરો રસ્તા પરથી પસાર થતા બધા જ વાહનને પકડવાનો પ્રયાસ કરે છે.જેવુ વાહન પસાર થાય કે તેની પાછળ દોટ મુકે છે. તમને એવુ લાગે છે કે એ ક્યારેય કોઇ વાહનને પકડી શકશે ? "

વેપારીએ કહ્યુ , " ભાઇ, તમે તો વાહન પકડવાની વાત કરો છો હું તો વિચારુ છું કે એ કદાચ કોઇ વાહનને પકડી લેશે તો પણ વાહનને પકડીને એ કરશે શું ? મને તો એ જ નથી સમજાતું કે વાહનને પકડવા એ શા માટે દોડાદોડી કરે છે જે પકડાયા પછી પણ એના માટે કોઇ કામનું નથી."

મિત્રો , આપણી પરિસ્થિતી પણ ક્યાંક આ કુતરા જેવી તો નથી ને ? સતત દોડા-દોડી કરીએ છીએ પણ શા માટે દોડા-દોડી કરીએ છીએ એ ખબર જ ન હોય ? જીવનમાં એવા ધ્યેયો પાછળ દોટ નહી મુકવી જે પ્રાપ્ત કર્યા પછી સમજાય કે મારે આની તો કોઇ જરુર જ નથી !

 ----------------------------------------------------------------------------------------------

 માર્ક ઝુકરબર્ગ પાસેથી શીખવા જેવી 10 વાતો.


@  Jyadatr log )an AOr p/itwa
kI kmIse nhI harte bLkI
 [slIye har jate hE kI ve ijt se phle hI mEdan 0oD detehE.....
     
1.
તમારા લક્ષ્ય પરથી નજર હટાવ્યા વિના બદલાવને સ્વીકારી લો ગ્રાહકોની માગ  અને    નાણાકીય  તકોને આધારે  ઝુકરબર્ગે   ફેરફારો કર્યા  અને  તેમને અપનાવ્યા   જે ફેસબુકની સફળતા પાછળનું સૌથી મોટું કારણ છે. બદલાવનો અર્થ અહીં   સમાધાન કરવું એવો બિલકુલ નથી. ઝુકરબર્ગે તેમના દીમાગમાં રહેલી કંપનીને દુનિયા સમક્ષ લાવી ત્યાં સુધી ઝુકરબર્ગે ક્યારેય બદલાવનો અસ્વીકાર નથી કર્યો. ફેસબુકે ક્યારેય નેટવર્કિંગ સર્વિસ પુરી પાડવા બદલ તેના યુઝર્સ પાસેથી પૈસા નથી લીધા, કંપનીને જાહેરાતોમાંથી જ કમાણી થઇ. તેથી જ ફેસબુક તેના ગ્રાહકોને છેતર્યા વિના એક મોટી કંપની બની શકી.

2.
લોકોને સાંકળો

કોઇ પણ ઉંમરના લોકો તેમજ બધા ક્ષેત્રની કંપનીઓએ ખર્ચાના અભાવ સિવાયના     ઘણા કારણોથી  ફેસબુકને આવકારી. ફેસબુકે લોકોને તેમના જૂના મિત્રોને યાદ  કરવાનો અને   નવા મિત્રો બનાવવાનો મોકો આપ્યો. ઝુકરબર્ગે લોકોને  મળવા માટેનું એક પ્લેટફોર્મ તૈયાર કરી  આપ્યું,  જેને માનવતાની  સ્વાભાવિક  જરૂરિયાત છે. આગળ જતાં સાઇટે લોકોને ફોટો શેર કરવાની,  ચેટ,  ગેમ રમવા,  ઉખાણા ઉકેલવાની તકો પણ પુરી પાડી. ફેસબુકને  તમે પ્રેમ કરો કે ધિક્કારો પણ તેણે લોકોને તેની સર્વિસમાં રસ લેતા કર્યા છે.

                       po[N3 Aof 2I 3ok : É
3. ટેકનોલોજીને વધાવી લો

લોકો જો  ઇન્ટરનેટ  પર  આધાર  ન રાખતા હોત તો ફેસબુકનું અસ્તિત્વ શક્ય ન  હતું.  ઝુકરબર્ગ  સફળ  થતા તેની પાછળનું કારણ ફક્ત લોકોને પુરી પાડેલી  કનેક્ટીવીટી   નથી પણ ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ પણ છે.

4.
ટ્રેન્ડ પર ધ્યાન રાખો
                          
જ્યારે ટ્રેન્ડની વાત આવે છે ત્યારે તેમના ગુલામ બનવાથી દુર રહેવાની
વાત   પણ   આવે     છે.   નાણાકીય   તકો   અને   વૃદ્ધિ    પામી  રહેલી  ટેકનોલોજીની સાથે સાહસિકે ટ્રેન્ડ પર પણ ધ્યાન રાખવું જોઇએ જેથી તેને ખબર  પડે  લોકોને શું  જોઇએ છે  અને  તેમને શેની જરૂર છે. જો કે લેટેસ્ટ ટ્રેન્ડ પર  વધુ  પડતો  ભાર  પણ ન  મૂકવો જોઇએ. દાખલા તરીકે ફેસબુક એપ્લિકેશન,  ગિફ્ટ અને  મીડિયા માટે પ્રમોશનો ઉમેરો કરી શકી હોત પણ તેણે  તેના  મુખ્ય હેતુ-  લોકોને   જોડવા  પર  વધુ  ધ્યાન કેન્દ્વિત કર્યું.  આ પ્રકારના હેતુઓ સમાજમાં આવતા ઉતાર ચઢાવથી પર હોય છે.

5.
વૃદ્ધ લોકોની અવગણના ન કરશો

ફેસબુકે તેની સેવાઓની જાળને જ્યારથી 13 વર્ષથી વધુ ઉમરના કોઇ પણ વ્યક્તિ  માટે  ખુલ્લી  મૂકી  ત્યારે  ઘણા  યૂઝરોએ  તેનો  વિરોધ  કર્યો  હતો (અત્યારે પણ કેટલાક કરે છે).  પણ  આમ  કરવું  ઝુકરબર્ગ માટે નફાકારક સાબિત   થયું.   કંપનીના   યૂઝર  વધ્યા,   આમ   દરેક  ઉંમરના  લોકો  આ પ્લેટફોર્મ પર આવી શક્યા.

6.
ઘણીવાર સરળ આઇડિયા સૌથી વધારે નફાકારક હોય છે

ફેસબુક મૂળ આઇડિયા ન હતો. સોશિયલ નેટવર્કિંગ સમાજના અસ્તિત્વની શરૂઆતથી    જોવા  મળે  છે.  પણ  ઝુકરબર્ગે  જે  કર્યું તે એ હતું કે નવી ટેકનોલોજીનો  ઉપયોગ  કરીને  પહેલાથી જે હાજર હતું તેનો ઉપયોગ કર્યો,     

                    po[N3 Aof 2I 3ok : Ê
હાવર્ડના વિદ્યાર્થીઓના એક નાના નેટવર્કથી શરૂ કરીને આજની મોટી કંપની સુધી વિસ્તરણ  કર્યું. લોકોને  જોડવા  માટેનો  એક  સામાન્ય વિચાર અબજો ડોલરની કંપનીમાં પરીણમ્યો.

7.
બધું તમારી જાતે કરો

ઝુકરબર્ગને  જ્યારે  સૌપ્રથમ  વાર  ફેસબુકનો  ખ્યાલ  આવ્યો  ત્યારે તેમણે અન્ય હાવર્ડ કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓ ક્રિસ હ્યુજીસ, એડ્યુર્ડો સેવેરીન અને  ડસ્ટીન  મોસ્કોવીઝ  સાથે  સોર્સ કોડ  ડેવલપ  કરવા તેમજ ડિઝાઇન
તૈયાર  કરવા  જોડાણ  કર્યુ.  ટીમે ક્યારેય આઉટસોર્સ કરવાની જરૂર ન પડી. તે સમયે જે પણ નિપુણતાની જરૂર હતી તે આ લોકોમાં હાજર હતી. પોતાની ઉપરનો આધાર ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ બનાવવા માટે તેમજ અન્ય લોકોની પસંદગી અને મર્યાદાઓ પર આધારિત ન રહેવા જરૂરી છે.

8.
તમે જે જાણો છો તેને વળગી રહો

પોતાની  ક્ષમતાઓમાં  રહીને  કામ  કરવું   સારો  વિચાર  છે.  ક્યારેય એ વાતને    અપનાવશો  જે  તમને  ફીટ  નથી  થતી.  ઝુકરબર્ગ  અને તેમના મિત્રોએ  પોતાની  સબળી  બાજુઓ  અને  અનુભવોને  આધારે  પ્રોજેક્ટ  શરૂ કર્યો. કોમ્પ્યુટર સાયન્સમાં તેમનું જ્ઞાન કંપનીના હોદ્દેદારો બનવા સુધી દોરી ગયું. તેમણે કયારેય બાયોલોજી, સાહિત્ય કે રાજકારણને ઓવરટેક કરવાની કોશિશ નથી કરી.

9.
પ્રશ્નો પૂછતા ગભરાશો નહીં

ઝુકરબર્ગ શૂન્યાવકાશમાં અબજોપતિ નથી બન્યા. તેમણે તેમના મિત્રો સાથે મળીને  કામ  શરૂ  કર્યું.  સહકારી  પ્રયત્નોમાં  મુશ્કેલીઓ,  પ્રશ્નો,  જવાબો અને ઉકેલ  રહેલા   હોય  છે.  પોતાનો  વ્યવસાય  શરૂ  કરવાનું વિચારી રહેલા વિદ્યાર્થીઓએ ક્યારેય પ્રશ્નો પૂછવામાં ખચકાટ ન રાખવો જોઇએ.

10.
લોકોના સમુદાય બનાવવા પ્રયત્નશીલ રહો, નહીં કે નફો કમાવવા

                    po[N3 Aof 2I 3ok : Ë

ફેસબુક હાવર્ડના વિદ્યાર્થીઓ માટે એક ડિરેક્ટરી તરીકે શરૂ કરાઇ હતી. તેને ક્યારેય   નાણા   કમાવી   આપતું   સાધન   તરીકે   વિચારાયું   હતું.  પૈસા કમાવવાની  જગ્યાએ  લોકોને   ગમે  છે  કે તેમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવે. આ જ રસ્તો છે જેના પગલે પગલે ચાલીને ફેસબુક આજના મુકામે પહોંચી છે.

અંતે માર્ક ઝુકરબર્ગે  પોતાનું  નસીબ અજમાવવા ક્યારેય કંઇક જટિલ નથી કર્યું.  સરળતા  અને  સમુદાયે  તેમને  જે  માર્ગ  ચિંધ્યો તેના પર ચાલીને તે અબજોપતિ  બન્યા.  આસરળ લક્ષ્યાંકો હજારો લાખો કોલેજના વિદ્યાર્થીઓને તેમનો પોતાનો વ્યવસાય શરૂ કરવાની પ્રેરણા આપે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો